મત્સ્ય

મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુના દસ અવતારો પૈકીનો પહેલો અવતાર છે. શ્રીમદ્ ભાગવતમ્‌ની કથા અનુસાર ભગવાને આ અવતારમાં મત્સ્યનું એટલે કે માછલીનું શરિર ધારણ કરી ને પ્રલયકાળ નજીક હોવાની માહિતી આપી હતી અને તે પ્રલયમાંથી દરેક જીવને બીજા ચતુર્યુગમાં લઈ જવાની યોજના સમજાવી હતી.