ભગદત્ત

ભગદત્ત એ નરકાસુરનો પુત્ર અને પ્રગાજ્યોતિષ દેશનો રાજા હતો. મહાભારતના યુદ્ધમાં તેણે કૌરવોના પક્ષમાં યુદ્ધ કર્યું હતું. તે ગજયુદ્ધ માટે વિખ્યાત હતો હાથી પર સવાર થઇ તેણે અર્જુન સાથે યુદ્ધ કર્યું હતું. યુદ્ધ દરમિયાન તેણે અર્જુન પર વૈષ્ણવાસ્ત્ર નામના આયુધનો પ્રયોગ કર્યો હતો[૧] પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુન ની રક્ષા કરી હતી. અંતે તે અર્જુનને હાથે હણાયો[૧][૨][૩]

સંદર્ભ