બોત્તેર કોઠાની વાવ
બોત્તેર કોઠાની વાવ, કે જે મહેસાણા વાવ તરીકે અથવા ઇંટેરી વાવ તરીકે પણ ઓળખાય છે, જે મહેસાણા, ગુજરાત, ભારત સ્થિત એક વાવ છે.[૧][૨]
બોંત્તેર કોઠાની વાવ | |
---|---|
વાવનો અંતરિયાળ ભાગ | |
અન્ય નામો | મહેસાણા વાવ |
સામાન્ય માહિતી | |
નગર અથવા શહેર | મહેસાણા |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°36′12″N 72°24′05″E / 23.603431°N 72.401489°E |
પૂર્ણ | ૧૬૭૪ |
તકનિકી માહિતી | |
માળની સંખ્યા | ૧૧ |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | સ્થાનિક |
ઇતિહાસ
મુગલ બાદશાહ ઔરંગઝેબના શાસન દરમિયાન વાવનું નિર્માણ કરાયું હતું. સંવત ૧૭૩૧ (ઇ.સ. ૧૬૭૪)નો ફારસી અને દેવનાગરી લિપિમાં લખેલો શિલાલેખ જણાવે છે કે શ્રીમાળી જ્ઞાતિની લઘુ શાખાના શાહ ગોકળદાસ અને તેમની માતા માણબાઈ દ્વારા લોકકલ્યાણ માટે વાવ બાંધવામાં આવી હતી.[૧][૩]
ગાયકવાડ શાસન દરમિયાન આ વાવનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવેલું.[૪][૫] ત્યારપછી આ વાવ ઉપેક્ષિત રહેતા પ્રદૂષિત બની ગઈ હતી. મહેસાણા નગરપાલિકા દ્વારા તેને ૨૦૧૩માં સાફ કરવામાં આવી હતી.[૬] [૭] ૨૦૨૦માં તેને ફરીથી સાફ કરવામાં આવી હતી અને તેના પાણીનો ઉપયોગ બગીચાઓમાં કરવાની પરવાનગી આપવામાં આવી હતી.[૮]
સ્થાપત્ય
તે પરા વિસ્તારના ભીમનાથ મહાદેવ મંદિર નજીક આવેલી છે.[૯] તે ઇંટો અને રેતીના પત્થરોથી બાંધવામાં આવી છે.[૫] તે ૧૪થી ૧૫ મીટર (૪૦થી ૫૦ ફૂટ) લાંબી અને અગિયાર માળ ઉંડી છે; સાથે જ બે જોડિયા કૂવા છે. તેમાં ૭૨ કોઠા આવેલ હોવાથી તે બોતેર કોઠાની વાવ તરીકે ઓળખાય છે.[૩][૧૦]
- વાવમાં ફારસી અને દેવનાગરી શિલાલેખો
- કાટમાળથી ભરેલી ઉપેક્ષિત વાવ