નટવરસિંહજી ક્રિકેટ ક્લબ મેદાન

નટવરસિંહજી ક્રિકેટ ક્લબ મેદાન એક ક્રિકેટનું મેદાન છે, જે પોરબંદર, સૌરાષ્ટ્ર ખાતે આવેલ છે. આ મેદાન ખાતે ઓક્ટોબર ૧૯૬૦ના સમયમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ અને મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ વચ્ચે રણજી ટ્રોફીનો મુકાબલો થયો હતો.[૧] આ મેચમાં મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ ૧૦ વિકેટથી જીતી ગઈ હતી. ઓછા જુમલાવાળી મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ૯૪ અને ૧૩૯ રન બનાવ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રની ટીમે ૧૮૭ અને ૪૭/૦નો જુમલો નોંધાવી આ ત્રણ દિવસીય મેચ, બે જ દિવસમાં પૂર્ણ કરી જીતી લીધી હતી.[૨] આ એકમાત્ર પ્રથમ કક્ષાની ક્રિકેટ-મેચ આ મેદાન પર રમાઈ હતી.[૩]

નટવરસિંહજી ક્રિકેટ ક્લબ મેદાન
નકશો
સામાન્ય માહિતી
સ્થાનપોરબંદર, સૌરાષ્ટ્ર
અન્ય માહિતી
બેઠક ક્ષમતામાહિતી અપ્રાપ્ય

સંદર્ભો

બાહ્ય કડીઓ

21°38′23″N 69°37′0″E / 21.63972°N 69.61667°E / 21.63972; 69.61667