દેલવાડા (તા. ઉના)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દેલવાડાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.[૧] આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

દેલવાડા (તા. ઉના)
—  ગામ  —
દેલવાડા (તા. ઉના)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ20°46′32″N 71°02′09″E / 20.7756133°N 71.0357042°E / 20.7756133; 71.0357042
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લો જુનાગઢ
તાલુકોઉના
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ• ૩૬૨૫૧૦
    • ફોન કોડ• +૯૧-૨૮૭૫
    વાહન• જીજે-૧૧

દેલવાડા તાલુકામથક ઉનાથી ૫ કિ.મી. અને દીવથી ૮ કિ.મી.ના અંતરે આવેલું છે. આ ગામની નજીકમાં ગુપ્તપ્રયાગ મંદિર [૨], શ્યામકુંડ અને મહાપ્રભુજીની ૮૪ બેઠકો પૈકીની ૬૭મી બેઠક જેવા વિશેષ દેવસ્થાનો આવેલાં છે.

ભૂગોળ

દેલવાડા મચ્છુન્દ્રી નદીના કાંઠે ઉનાથી ૫ કિમી અને દીવથી ૮ કિમીના અંતરે આવેલું છે. સમુદ્ર નજીક હોવાથી હવામાન અત્યંત ભેજવાળું રહે છે.

પરિવહન

દેલવાડામાં રેલ્વે સ્ટેશન આવેલું છે, જે વેરાવળ અને જુનાગઢ તેમજ અન્ય શહેરો સાથે જોડાયેલું છે.[૩]

ઉના તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ