ગાંધીનગર રેલ્વે સ્ટેશન

ગાંધીનગર, ગુજરાતમાં આવેલું રેલ્વે સ્ટેશન

ગાંધીનગર રેલ્વે સ્ટેશન અથવા ગાંધીનગર કેપિટલ (સ્ટેશન કોડ: GNC) પંચતારક (૫-સ્ટાર) હોટેલ સાથેનું રેલ્વે સ્ટેશન છે, જે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે.

ગાંધીનગર કેપિટલ
ભારતીય રેલ્વે સ્ટેશન
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનનો બાહ્ય દેખાવ
સામાન્ય માહિતી
સ્થાનગાંધીનગર, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ23°14′05″N 72°37′48″E / 23.234777°N 72.630031°E / 23.234777; 72.630031
ઊંચાઇ75.880 metres (248.95 ft)
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનઅમદાવાદદિલ્હી મુખ્ય લાઇન
ખોડિયાર-કલોલ જંકશન
પ્લેટફોર્મ
પાટાઓ
જોડાણોટેક્સી સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય (જમીન પર)
પાર્કિંગહા
સાયકલ સુવિધાઓહા
AccessibleHandicapped/disabled access પ્રાપ્ત
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડGNC
વિસ્તારપશ્ચિમ રેલ્વે વિભાગ
વિભાગઅમદાવાદ
ઈતિહાસ
વીજળીકરણહા
સ્થાન
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન is located in India
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન
Location within India
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન (ગુજરાત)

સ્થાન

આ સ્ટેશન ગુજરાતની રાજધાની ગાંધીનગરને સેવા પૂરી પાડે છે. આ સ્ટેશન ગાંધીનગરના સેક્ટર-૧૪માં આવેલું છે. તેનું નિર્માણ ભારતીય રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જે IRCON અને RITES વચ્ચે ની ભાગીદારી વડે રચાયેલ જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ કંપની (PSE) છે.[૧]

મુખ્ય ટ્રેનો

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન (પ્લેટફોર્મ)

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન પર નીચેની ટ્રેનો બંને દિશામાં ઉભી રહે છે:[૨]

  • બાંદ્રા ટર્મિનસ - દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ
  • અમદાવાદ - હરિદ્વાર યોગ એક્સપ્રેસ
  • ગાંધીનગર કેપિટલ - ઇન્દોર શાંતિ એક્સપ્રેસ
  • આણંદ - ગાંધીનગર કેપિટલ મેમુ
  • ગાંધીનગર કેપિટલ – વરેઠા મેમુ
  • અમદાવાદ - ગાંધીનગર કેપિટલ મેમુ
  • ગાંધીનગર કેપિટલ - ભાવનગર ટર્મિનસ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ગાંધીનગર કેપિટલ - વારાણસી વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • મુંબઈ સેન્ટ્રલ - ગાંધીનગર શતાબ્દી એક્સપ્રેસ
  • ગાંધીનગર - મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ

સુવિધાઓ

આ સ્ટેશન ત્રણ પ્લેટફોર્મ ધરાવે છે.સ્ટેશનનો પુનઃવિકાસ પૂર્ણ થયા બાદ તેનું ઉદ્ઘાટન ૧૬ જુલાઈ ૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.[૩] પુનઃવિકાસિત સ્ટેશનને વિકલાંગોને અનુકૂળ બનાવવામાં આવ્યું છે અને પ્લેટફોર્મની ઉપર એક ૫-સ્ટાર હોટેલ બનાવવામાં આવી છે. આ લક્ઝરી હોટેલમાં ૩૧૮ ઓરડાઓની સુવિધા છે અને તેનું સંચાલન ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવશે. આ હોટેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને માટે બનાવવામાં આવી છે અને આખી ઇમારત ગ્રીન બિલ્ડીંગની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.[૪]

સંદર્ભ

બાહ્ય કડીઓ

  • Gandhinagar પ્રવાસન માહિતી વિકિવોયજ પર.