ગરવી ગુજરાત ભવન, નવી દિલ્હી
ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીના અકબર રોડ ઉપર ૭૦૬૬ ચોરસ મીટર પ્લોટ પર બનાવવામાં આવ્યું છે.[૧] રાજધાનીમાં આ "પ્રથમ ઇકોફ્રેન્ડલી" રાજ્ય ભવન છે.[૨] ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સાથે ભારતના ૧૪મા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.[૩][૪]
ગરવી ગુજરાત ભવન | |
---|---|
સામાન્ય માહિતી | |
પ્રકાર | સરકારી |
સ્થાન | ૨૫-એ, અકબર રોડ |
સરનામું | દિલ્હી, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 28°36′13″N 77°12′04″E / 28.6036773°N 77.2009912°E |
પૂર્ણ | ૨૦૧૯ |
ઉદ્ઘાટન | સપ્ટેમ્બર ૨, ૨૦૧૯ |
ખર્ચ | ૧૩૧.૮૨ કરોડ |
માલિક | ગુજરાત સરકાર |
તકનિકી માહિતી | |
માળ વિસ્તાર | ૭,૦૬૬ ચો.મી. (અંદાજીત) |
રચના અને બાંધકામ | |
મુખ્ય કોન્ટ્રાક્ટર | NBCC ઇન્ડિયા લિ. |
મકાન
ધૌલપુર અને આગ્રા પત્થરોનો ઉપયોગ કરીને નવું ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે.[૩] જુનું ગુજરાત ભવન કૌટિલ્ય માર્ગ પર ૧૪૧૮ ચોરસ મીટરના પ્લોટ પર સ્થિત છે. [૫] આ રચના ૭૦૬૬ ચોરસ મીટર [૬] ના ક્ષેત્રમાં ફેલાયેલી છે અને આ સંકુલની કુલ કિંમત રૂ. ૧૩૧ કરોડ છે.[૭][૮] ગુજરાત ભવનમાં લગભગ ૭૮ અલગ અલગ વિષયઆધારિત ઓરડાઓ છે, જે સાત માળમાં વહેંચાયેલા છે, જેમાં ૨ સ્યુટ, ૧૭ વીઆઈપી સ્યુટ અને મહેમાન કક્ષો છે.[૯]
સુવિધા
આ નવા ગરવી ગુજરાત ભવનમાં નીચેની સુવિધા છે. [૫] [૧૦]
- ૧૯ સ્યુટ રૂમ
- ૫૯ ઓરડાઓ
- ભોજનાલય
- જાહેર ભોજનગૃહ
- વ્યાપાર કેન્દ્ર
- સંભારણાનાની દુકાન
- બહુહેતુક સભાખંડ
- સંમેલન સભાખંડ
- ચાર લાઉન્જ
- વ્યાયામ શાળા
- યોગા કેન્દ્ર
- અગાસી પર બગીચો
- પુસ્તકાલય