૧૦ ઓગસ્ટ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ૧૬૭૫ – લંડન ખાતે રોયલ ગ્રીનવિચ વેધશાળાનું ખાતમુહૂર્ત કરાયું. ૧૭૪૧ – ત્રાવણકોરના રાજા માર્થાન્ડા વર્માએ કોલાચેલના યુદ્ધમાં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને હરાવી ભારતમાં ડચ સંસ્થાનવાદી શાસનનો અસરકારક રીતે અંત આણ્યો. ૧૮૪૬ – વૈજ્ઞાનિક "જેમ્સ સ્મિથસન" દ્વારા પાંચ લાખ ડોલરનું દાન મળ્યા પછી, અમેરિકન કોંગ્રેસ દ્વારા "સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ'ની સ્થાપનાની ઘોષણા કરાઇ. ૧૮૯૭ – જર્મન રસાયણશાસ્ત્રી ફેલિક્સ હોફમેન એસ્પિરિનના સંશ્લેષણની સુધારેલી રીત શોધી કાઢી. ૨૦૦૩ – યુનાઇટેડ કિંગડમનાં "કેન્ટ" પરગણામાં અત્યાર સુધીનું યુનાઇટેડ કિંગડમનું ઉંચામાં ઉંચું તાપમાન, ૩૮.૫°સે.(૧૦૧.૩°ફે.) નોંધાયું. યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત ૧૦૦°ફે. કરતાં ઉંચું તાપમાન નોંધાયું. જન્મ ૧૭૫૫ – નારાયણ રાવ, મરાઠા સામ્રાજ્યના પાંચમા પેશવા (અ. ૧૭૭૩) ૧૮૫૩ – ઇચ્છારામ દેસાઈ , ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક અને પત્રકાર (અ. ૧૯૧૨) ૧૮૬૦ – વિષ્ણુ નારાયણ ભાટખંડે, ભારતીય ગાયક અને સંગીતશાસ્ત્રી (અ. ૧૯૩૬) ૧૮૯૪ – વી. વી. ગીરી , ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૪થા રાષ્ટ્રપતિ (અ. ૧૯૮૦) ૧૯૩૮ – જયંત મેઘાણી , સંપાદક, અનુવાદક અને પુસ્તક વિક્રેતા, ઝવેરચંદ મેઘાણીના દ્વિતીય પુત્ર (અ. ૨૦૨૦) ૧૯૪૫ – વિજય શાસ્ત્રી , ગુજરાતીના ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક ૧૯૬૨ – દેવાંગ મહેતા , માહિતી તકનીકીના સલાહકાર (અ. ૨૦૦૧) ૧૯૬૩ – ફૂલનદેવી, ભારતની ચંબલખીણની ડાકુરાણી. (અ. ૨૦૦૧) અવસાન ૧૯૬૮ – રાવજી પટેલ , આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર (જ. ૧૯૩૯) ૨૦૧૨ – સુરેશ દલાલ , ગુજરાતી ભાષાના કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક (જ. ૧૯૩૨) ૨૦૧૭ – રૂથ ફાઉ , પાકિસ્તાનની મધર ટેરેસા તરીકે ઓળખાતા જર્મન-પાકિસ્તાની ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર. (જ.૧૯૨૯) તહેવારો અને ઉજવણીઓ આંતરાષ્ટ્રીય બાયોડિઝલ દિવસ બાહ્ય કડીઓ